Loading...

Breaking News: યુદ્ધની સ્થિતિ વચ્ચે ગેસ અને ખાતર અંગે મોટી ખાતરી, સંગ્રહખોરી સામે કડક એક્શન

પહેલેથી જ પ્રાથમિકતા નક્કી કરી

દિલીપ સંઘાણીના જણાવ્યા અનુસાર યુદ્ધના કારણે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે, પરંતુ ભારતની સ્થિતિ અન્ય ઘણા દેશોની તુલનામાં વધુ સ્થિર છે. સરકારે પહેલેથી જ પ્રાથમિકતા નક્કી કરી છે અને સૌ પ્રથમ ઘરેલુ વપરાશ માટે ગેસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. ઉદ્યોગોમાં જરૂરી હોય ત્યાં પુરવઠામાં કાપ મુકવામાં આવ્યો છે, જેથી સામાન્ય લોકોને કોઈ મુશ્કેલી ન પડે.

ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી

ખાસ કરીને ખેડૂતો માટે પણ તેમણે મહત્વપૂર્ણ ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે હાલની સીઝન માટે ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને ખેડૂતોને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સરકાર અને સંબંધિત સંસ્થાઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે જેથી ખેતીના કામમાં કોઈ વિક્ષેપ ન આવે.

બજારમાં અછતનો ભાસ ઊભો થઈ શકે છે

સાથે સાથે તેમણે લોકોને અપીલ કરી છે કે અફવાઓથી દૂર રહે અને સરકાર દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરે. જો લોકો ગભરાટમાં આવી અનાવશ્યક સંગ્રહ કરશે તો બજારમાં અછતનો ભાસ ઊભો થઈ શકે છે. તેથી સૌએ જવાબદારીપૂર્વક વર્તવું જરૂરી છે.

Image Gallery