Loading...

પૂર વચ્ચે પોલિટીક્સ.. સુરત ખાડીપુર મામલે કોંગ્રેસના પ્રહાર, તંત્રની નિષ્ફળતા ! જન આંદોલનની ચીમકી

કોંગ્રેસના મતે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકો માત્ર કાગળ પર જ યોજાઈ હતી અને ચોમાસા પહેલા પાણીના નિકાલમાં અવરોધરૂપ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા નથી. ત્રણ વર્ષથી ચેતવણીઓ છતાં તંત્ર ઊંઘતું રહ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે. કોંગ્રેસે ખાડીપુર અને જળભરાવના મુદ્દે ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે, જેથી અધિકારીઓની જવાબદારી નક્કી થઈ શકે.

સુરતના લાખો નાગરિકો, વેપારીઓ અને ખેડૂતોને થયેલી હાલાકીને કોંગ્રેસે ઉજાગર કરી છે. મહાનગરપાલિકાના કલેક્ટર અને સિંચાઈ વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનું કોંગ્રેસે કહ્યું. ભારતીય જનતા પાર્ટી દ્વારા સંચાલિત મહાનગરપાલિકાના વહીવટ પર પણ પ્રશ્નાર્થ ઉઠાવવામાં આવ્યા છે. જો આ મામલે સરકાર દ્વારા કાર્યવાહી નહીં કરાય તો કોંગ્રેસે જન આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. શહેર અને જિલ્લાના લોકોને બે દિવસ સુધી પાણી ભરાવાના કારણે મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Image Gallery