Loading...

Amitabh Bachchan: હોસ્પિટલમાં દાખલ નથી અમિતાભ બચ્ચન, રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ ગયા હતા એક્ટર

Amitabh Bachchan Health Update:  બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના સમાચાર ફેલાઈ ગયા, જેના કારણે તેમના ચાહકો તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત થઈ ગયા હતા. આ સમાચાર ફેલાતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી. જોકે, એક અહેવાલ મુજબ, અમિતાભ બચ્ચનના હોસ્પિટલમાં દાખલ થવાના સમાચાર ખોટા છે. અભિનેતા શનિવારે રૂટીન ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલ ગયા હતા.

નોંધનીય છે કે પત્રકાર વિક્કી લાલવાણીએ અહેવાલ આપ્યો હતો કે બિગ બીને શનિવાર, 16 મેથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને પેટ સંબંધિત સમસ્યાઓને કારણે છેલ્લા ત્રણ દિવસથી એ-વિંગ વીઆઈપી એન્ક્લોઝરમાં દાખલ કરાયા હતા. બચ્ચનને "કુલી" અકસ્માત પછી પેટની સમસ્યાઓ છે. અને રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે અભિષેક બચ્ચન હોસ્પિટલમાં તેમને મળવા પહોંચ્યો હતો. જોકે, સત્ય કાંઈક અલગ છે. વાસ્તવમાં ઈ-ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક સૂત્રએ જણાવ્યું હતું કે " બચ્ચન શનિવારે નાણાવટી હોસ્પિટલ ગયા હતા, પરંતુ તે તેમનું રૂટીન ચેકઅપ હતું જે તેઓ દર મહિને કરાવે છે અને ત્યારબાદ તેઓ ઘરે પરત આવી ગયા હતા. 

અહેવાલ મુજબ સૂત્રએ વધુમાં કહ્યું હતું કે "આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે અને શનિવારે હોસ્પિટલમાં નિયમિત તપાસ બાદ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે તેઓ જલસાથી જનક સુધી તેમની કાર ચલાવતા પણ જોવા મળ્યા હતા. તેઓ હાલમાં ઘરે છે." અહેવાલ મુજબ, પરિવારના નજીકના અન્ય એક સૂત્રએ કહ્યું, "આ સમાચાર સંપૂર્ણપણે ખોટા છે."

અમિતાભ બચ્ચને કરી ક્રિપ્ટિક પોસ્ટ 

 દરમિયાન, તેમના હોસ્પિટલમાં દાખલ થવાની અફવાઓ વચ્ચે અમિતાભ બચ્ચન મંગળવારે રાત્રે 12:19 વાગ્યે તેમના બ્લોગ પર એક ક્રિપ્ટિક નોટ શેર કરી હતી. 

રવિવારે અમિતાભ બચ્ચન તેમના ઘરની બહાર ચાહકોને મળ્યા હતા.

નોંધનીય છે કે હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ સત્ય હોઈ શકે નહીં કારણ કે બિગ બી રવિવારે તેમના ઘરની બહાર ચાહકોને મળ્યા હતા.                           

Image Gallery