Loading...

IPL 2026ની ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

ગુજરાત ટાઈટન્સની બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જોકે કોઈ મોટું નુકસાન થયું નથી કારણ કે બધા ખેલાડીઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટીમ બસ હોટલ પરત ફરી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થયું હતું. આગને કારણે ખેલાડીઓ લગભગ એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.

ગુજરાત ટાઈટન્સની અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે

ત્યારબાદ ખેલાડીઓ માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાત ટાઈટન્સને અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે કારણ કે, પહેલા તો તે આઈપીએલ ફાઈનલ રમવા માટે અમદાવાદ મોડી પહોચી હતી. કારણ કે, તેની ફ્લાઈટ ચંદીગઢમાં તોફાનના કારણે ફસાય હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,બસમાં શોર્ટ સર્કિટના કાણે આગ લાગી હતી પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. તમામ ખેલાડીઓને સુરક્ષિત રીત બહાર કાઢવામાં આવ્યા હતા.

ટીમના ખેલાડીઓનો થાક

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આઈપીએલ ફાઈનલમાં આરસીબી સામે આ હારનું એક કારણ ટીમના ખેલાડીઓનો થાક પણ છે. ક્રિકેટ ડાયરેક્ટર વિક્રમ સોલંકીએ મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, અમે એવું કહી વાત પુરી કરવા નથી માંગતા કે, આરસીબી જીતી ગઈ. અમે ઓછા દિવસમાં વધારે મેચ રમી હતી. અમે થાકી ગયા હતા. અમે પણ ટ્રોફી જીતવા માંગતા હતા.તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઈટન્સની પાસે આરસીબી વિરુદ્ધ પોતાના હોમ ગ્રાઉન્ડમાં બીજી વખત ચેમ્પિયન બનવાની તક હતી પરંતુ તે ચૂકી ગઈ હતી.

ટીમ  અકસ્માતમાંથી માંડ માંડ બચી

IPL ફાઇનલમાં હાર બાદ ગુજરાત ટાઇટન્સની આખી ટીમ એક મોટા અકસ્માતમાંથી માંડ માંડ બચી ગઈ. PTI અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે ટીમ ફાઇનલ મેચ પછી સ્ટેડિયમથી ટીમ હોટેલ પરત ફરી રહી હતી.

Image Gallery