Loading...

પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ:પાકિસ્તાને ફરી એરસ્ટ્રાઈક કરી; તાલિબાનનો દાવો- ઈસ્લામાબાદમાં મિલિટરી સ્ટેશનને ટાર્ગેટ કર્યું, અત્યાર સુધીમાં 200નાં મોત

અફઘાનિસ્તાને ગુરુવારે મોડી રાત્રે પાકિસ્તાન પર હુમલો કર્યો. કુનાર પ્રાંતમાં તાલિબાન લડવૈયાઓના હુમલામાં પાકિસ્તાની સેનાના 55 જવાનો માર્યા ગયા છે. આ માહિતી ટોલો ન્યૂઝે તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદને ટાંકીને આપી છે.

અફઘાન સરકારનો દાવો છે કે 23 પાકિસ્તાની સૈનિકોના મૃતદેહ તેમની પાસે છે. પાકિસ્તાની સેનાના એક હેડક્વાર્ટર અને 19 ચોકીઓ પર પણ કબજો કરી લેવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાનના ડેપ્યુટી પ્રવક્તા, હમદુલ્લા ફિતરતે જણાવ્યું કે કેટલાક પાકિસ્તાની સૈનિકોને જીવતા પકડી લેવામાં આવ્યા, જ્યારે ડઝનબંધ હથિયારો, એક ટેન્ક અને એક હાર્વેસ્ટર જપ્ત કરવામાં આવ્યું છે.

જ્યારે પાકિસ્તાની મીડિયા અનુસાર, જવાબી કાર્યવાહી કરતા PAK સરકારે ઓપરેશન 'ગઝબ લિલ હક' શરૂ કર્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ કાબુલ, નંગરહાર પ્રાંત સહિત અનેક શહેરોમાં એરસ્ટ્રાઈક કરી.

સરકારનો દાવો છે કે અત્યાર સુધીમાં 133 અફઘાન તાલિબાની સૈનિકો માર્યા ગયા છે અને 200થી વધુ ઘાયલ થયા છે. 27 તાલિબાન ચોકીઓ નષ્ટ કરી દેવામાં આવી છે અને 9 પર કબજો કરી લેવામાં આવ્યો છે.