Loading...

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા

અમદાવાદની બિહામણી દશા

ચોમાસામાં કોઈ એક વિસ્તારમાં પણ સત્તાધીશો રાઉન્ડ પર નીકળે તો વાસ્તવિક સ્થિતિની ખબર પડે તેમ છે. અમદાવાદમાં હવે માત્ર ચોમાસામાં જ નહીં, પરંતુ બારેમાસ લોકો કોલેરા, કમળો, ટાઈફોઈડ વગેરે પાણીજન્ય તેમજ ડેન્ગ્યુ, મલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનો ભોગ બની રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે વિધાનસભામાં રજૂ કરાયેલા આંકડા અનુસાર, અમદાવાદ શહેર જ નહીં, પણ બાવળા, દસક્રોઈ, દેત્રોજ, ધોલેરા, ધંધુકા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ સહિત આખા જિલ્લામાં વર્ષ 2024-25માં કોલેરા, કમળો, ટાઈફોઈડના 101, જ્યારે વર્ષ 2025-26 માં 93 સહિત બે વર્ષમાં કુલ માત્ર 194 કેસ સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં 127 કેસ તો ફક્ત ટાઈફોઈડના છે. તેમજ આવી બીમારીઓથી એક પણ દર્દીનું મૃત્યુ ન થયું હોવાનું જણાવાયું છે. 

નાના દવાખાનામાં કેટલા કેસ નોંધાયા હશે

એક દિવસમાં કોઈ એક નાના દવાખાનામાં પણ આનાથી વધારે કેસ નોંધાતા હશે! ખુદ અમદાવાદ મ્યુનિ. દ્વારા પ્રદૂષિત પાણી અને તેને લગતા રોગચાળા માટે અમદાવાદના 26 વિસ્તારને હોટસ્પોટ ગણાવ્યા હતા. ત્યારે જાણકાર તબીબો પણ આરોગ્ય વિભાગના આ આંકડા પર વિશ્વાસ કરી શકે તેમ નથી. તેમના મતે આવા કેસની સંખ્યા હજારોમાં હોઈ શકે છે.

સરકારી ચોપડે લોકો સ્વસ્થ! અમદાવાદમાં બે વર્ષમાં પાણીજન્ય રોગના માત્ર 194 કેસ નોંધાયા 2 - image

Image Gallery