Loading...

ઉત્તરાખંડમાં મદરેસા ખતમ, લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના, ધામી સરકારે લીધો મોટો નિર્ણય

આગામી જુલાઈ 2026 થી મદરેસા બોર્ડ નાબૂદ કર્યા પછી, ઉત્તરાખંડની ધામી સરકારે, ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરી છે. ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ધામીએ જણાવ્યું હતું કે આ સત્તામંડળ હવે લઘુમતી બાળકોને આપવામાં આવતા શિક્ષણનું સ્વરૂપ નક્કી કરશે અને અભ્યાસક્રમને અંતિમ સ્વરૂપ આપશે.

 

ઉત્તરાખંડ સરકાર જુલાઈ 2026 થી મદરેસા બોર્ડને નાબૂદ કરી રહી છે. નવી સિસ્ટમ હેઠળ, ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળની રચના કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલયના વિશેષ સચિવ ડૉ. પરાગ મધુકર ધકાતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ગત વિધાનસભા સત્ર દરમિયાન ઉત્તરાખંડમાંથી મદરેસા બોર્ડ નાબૂદ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ એમ પણ કહ્યું હતું કે, આ વર્ષે જુલાઈથી, તમામ લઘુમતી શૈક્ષણિક સંસ્થાઓને ઉત્તરાખંડ રાજ્ય લઘુમતી શિક્ષણ સત્તામંડળ હેઠળ લાવવામાં આવશે અને ઉત્તરાખંડ શાળા શિક્ષણ બોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવશે.